Uncategorized
ચૈત્ર માસમાં લીમડાંના મૉરનું વિતરણ

ચૈત્ર માસમાં લીમડાંના મૉરનું વિતરણ

છેલ્લા વિસ વર્ષથી એક પરિવાર ચૈત્ર મહિનો શરૂ થતા જ લીમડાના મહોર નું પાણી વહેલી સવારે ઉઠી ઘરેથી બનાવી બગીચાઓમાં ચાલવા આવતા લોકોને નિશુલ્ક પીવડાવે છે આ પરિવાર છેલ્લા પંદર વર્ષથી સાણંદમાં બગીચાની બહાર ઉભા રહી ચૈત્ર માસમાં લીમડાના મહોર નું પાણી પીવડાવતા હતા જ્યારે હવે બાળકો મોટા થતા તેમના અભ્યાસ માટે અમદાવાદ જેવા શહેરમાં રહેવા આવ્યા પણ અહીંયા પણ તેઓ ગામડેથી લીમડો લાવી વહેલી સવારે ઉઠી આખું પરિવાર સાથે મળી મહોર નું પાણી તૈયાર કરે છે અને પાંચ વર્ષથી પ્રહલાદ નગર ગાર્ડનની બહાર ચાલવા આવતા લોકોને નિ:શુલ્ક પીવડાવે છે.ફાગણના અંતમાં અને ચૈત્રની શરૂઆતનો સમયગાળો એટલે લીમડા માં ફ્લાવરીંગની સીઝન, નવા પાંદડા અને પુષ્પો સાથે એ મ્હોરી ઉઠે છે,લીમડાના ઝીણાં પુષ્પગુચ્છને મ્હોર કહેવાય છે.છેક ૠગ્વેદકાળથી અત્યાર સુધી ચર્મવિકારોમાં લીમડો વપરાતો આવ્યો છે લીમડાનો આહાર- ઔષધ તરીકે ઉપયોગ કરાય તો, એ પચવામાં લઘુ એટલે કે હળવો છે,લીમડાના સેવનથી વાયુનો પ્રકોપ અને પિત્ત એટલે કે દાહ થતી હોય તો રાહત મળે છે.લીમડો સ્વાદે અને ગંધે કડવો હોય છે એટલે અહૃદ – મન ને ગમતો નથી, પણ શ્રમહર છે.
કડવો હોવાથી જ અરૂચી, તાવ અને પિત્તજ ખાંસી ને પણ દૂર કરે છે
લીમડોએ આંખ માટે ઉત્તમ છે, કેમ કે આંખના રોગ પિત્ત અને કફ ના સંચયથી થતાં હોય છે, જેને લીમડો દૂર કરે લીમડા ના મહોરનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સ્વરૂપ છે લીમડો આજના સમય માં કલ્પવૃક્ષ છે. જે ઇચ્છો એ આપે છે.